Pokar Harsha chandulal roll no :21
Pokar Harsha chandulal roll no :21
Workshop EPC 2
10/ 3 / 2020
માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા નાટ્ય અને કલા કોર્સ માં વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ જૂથો પાડવામાં આવ્યા હતા . અમને કલા અને સમાજ વિષયાંગ આપવામાં આવ્યો હતો. અમે મટેરિયલ નેટ માંથી સર્ચ કરી ને થોડા પોતાના મૌલિક વિચારો પણ ઉમેર્યા હતા. સમાજ મા આવતી સમસ્યાઓ, સામાજિક દૂષણો વગેરે દૂર કરવા માટે કલા નો ઉપયોગ થાય છે.કલા અને સમાજ બંને એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલા છે.કલા સામાજિક સ્વરૂપ છે. કાલા દ્વારા સમાજ નું પ્રતિબિંબ પડે છે. તેથી કલા સમાજદર્પણ છે એવું આપણે કહી શકીએ.કલા સમાજ પરિવર્તન નું અનોખું સાધન છે.નાટક સમાજ વચ્ચે રજુ થાય છે. તેમજ સર્જકો ને સમાજ માંથી કલા નું સર્જન કરવાં માટે વિષયવસ્તુ મળી રહે છે.જેમકે નવલકથા, વાર્તા કે નાટક સમાજનું ચિત્રણ અને અવલોકન કરે છે.એકંદરે જોતાં કળા એ સમાજ નું દર્પણ છે, સમાજ નો દસ્તાવેજ છે,સમાજની સમીક્ષા છે,સમાજ સુધારણા નું અમોઘ સાધન છે.કલા એ સમાજ ની અભિવ્યક્તિ છે. બધી માહિતી શોધી ત્યારબાદ તેની રજુઆત પણ કરી હતી.
Comments